
Teacher Recruitment News : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એક સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ભરતી આગામી ત્રણ માસની અંદર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકાર સફાળી જાગી છે અને શિક્ષકોની મોટાપાયે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ટેટ અને ટાટને લઈ મહત્વની અને ઉમેદવારોને ઉપયાગી થાય તેવી જાહેરાત કરાઈ છે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. મંત્રીએ વધુમા કહ્યું કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઈનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે. વધુમાં રાજકોટ દૂર્ઘટના મુદ્દે જણાવ્યું કે, એસઆઈટીનો રીપોર્ટ આવતીકાલે સરકારને મળશે ત્યારબાદ હાઈકોર્ટમાં રજૂ કરાશે. તો નીટની પરીક્ષા કેન્દ્ર સરકારની સ્વતંત્ર એજન્સી લે છે, ગેરરીતી સંદર્ભે માહિતી મળતા તપાસ કરી વિગતો અપાઈ છે. વધુમાં સિંચાઈને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર માટે સિંચાઈની ફાળવણી અગાઉ 2100 એમસીએફટી કરતા હતા જ્યારે આ વર્ષે નર્મદા વિભાગ સાથે ચર્ચા કરી 2331 એમસીએફટી પાણી પોહોંચાડવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ઉત્તર ગુજરાતના 60 હજાર એકર જમીનને લાભ મળશે
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Teacher Recruitment News - Teacher Recruitment - TET - TAT Exam Recruitmen - શિક્ષકોની કાયમી ભરતીના સમાચાર - TAT 1-2 પાસ ઉમેેદવારોની માંગ સ્વીકારાઈ - ગુજરાત સરકાર ત્રણ માસમાં માધ્યમિક અને ઉચ્ચત્ત્તરમાં 7500 શિક્ષકોની કરશે ભરતી - 7500 teachers recruitment